FAQ’s By Patient's

  • ડાયાબિટીસમાં આંતરડામાં કે હોજરીમાં કંઈ તકલીફ થાય?
    હા, ડાયાબિટીસમાં મગજમાંથી આવતાં જ્ઞાનતંતુઓ ખરાબ થતાં હોજરીમાં ખોરાક લાંબો સમય સુધી પડ્યો રહે, ભૂખ ન લાગે, ઊલટી થાય, આંતરડાં બરાબર કામ ન કરે તેવું બને. તેને ડાયાબિટીક ગેસ્ટ્રો પેરેસીસ કહેવાય.
  • પગની તપાસ કુટુંબીજનોની પાસે કેમ કરાવવી જોઈએ ?
    કમરની તકલીફ પગના સાંધાની તકલીફને કારણે ક્યારેક દર્દી પોતાનાં પગનાં તળિયાં સામે જોઈ શકતા નથી. તેથી કોઈ પણ ઈજા તકલીફ કે રસીનાં વહેલાં નિદાન માટે બીજા પાસે પગના તળિયાની રોજ તપાસ કરાવવી જોઈએ. ક્યારેક પગમાંથી બહુ દુર્ગંધ આવે ત્યાં સુધી દર્દીને ખબર પડતી નથી. કારણ દુખાવાનો અભાવ તથા સંવેદનાનો અભાવ હોય છે.
  • પગમાં વાઢિયા કેમ પડે ?
    જ્ઞાનતંતુની તકલીફ થતાં પગમાં પરસેવો વળવાનું બંધ થાય અથવા ઓછું થાય છે. તેથી ચામડી સૂકી થઈ જાય છે. સૂકી ચામડીમાં ચીરા વાઢિયા પડે છે. આ વાઢિયા ક્યારેક પાકી જાય તો આંગળાં કે પગ કપાવવાનો વારો પણ આવે. તેથી જ ચામડી સુંવાળી રાખવા કાયમ તેલ વેસેલીન કે ક્રીમ લગાવવું જોઈએ.
  • ડાયાબિટીસમાં કિડનીમાં શું તકલીફ થાય ?
    ડાયાબિટીસમાં કિડનીની કાર્યશક્તિ ઉપર વિપરીત અસર થવાથી લોહી બરાબર શુદ્ધ થઈ શકતું નથી. પરિણામે લોહીમાં ઝેરી પદાર્થોનું પ્રમાણ વધી જાય છે. તે ઉપરાંત કિડની વાટે પ્રોટીન તત્ત્વ પેશાબમાં બહાર નીકળે છે તે પણ કિડનીને બગાડે છે. એકવાર નુકસાન થયા પછી ડાયાબિટીસ ગમે તેટલો કાબૂમાં રાખો, તો પણ કિડનીની કાર્યક્ષમતા સુધારી શકાતી નથી. રોગિષ્ઠ કિડની અંતે નિષ્ફળ થઈ જાય છે. આને કારણે કિડની બદલવી કે ડાયાલિસીસ કરવું વિગેરેની જરૂરિયાત ઊભી થાય છે. જે દર્દીના કુટુંબને આર્થિક રીતે ખુવાર કરે છે.

Ahmedabad Top Diabetologist And Thyroid Specialist